Tuesday, March 15, 2005

જૂનું ઘર ખાલી કરતાં

શ્રી બાલમુંકુંદ દવેની આ અતિસુંદર રચના ઘણી જ હ્રદયસ્પર્ષી છે. દરેક મનુષ્યનાં જીવનમાં સ્થળાંતર કરવાનો સમય આવે જ છે, પરંતુ તે વખતે થતી પીડાનું ઘણુ જ સરસ વર્ણન કરેલ્ છે. નિર્જીવ વસ્તુઓ સાથે કેવી માયા બંધાય છે, તદુઉપરાંત કાવ્યનાં ઉર્તરાધમાં પ્રસન્ન દામ્પત્ય જીવનનાં ફળસ્વરૂપ પામેલા અને ત્યાર બાદ અકાળે મ્રુત્યુ પામેલા પુત્રની આવેલી યાદનું કરૂણતાસભર વર્ણન કરેલ છે.

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

-બાલમુકુંદ દવે (Balmukunda Dave)

1 comment:

Anonymous said...

This is very beatiful poem. I recently ended up on your site and really liked it. Great job.

Manish