Wednesday, May 17, 2006

કવિ શ્રી રમેશ પારેખ

રાજકોટમાં જ્યારે રમેશ પારેખ કાવ્યપર્વ યોજાયુ ત્યારે કવિ શ્રી અરવિંદ ભટ્ટે નીચેનુ કાવ્ય રજૂ કરેલ જેમા રમેશ પારેખ અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનો નિર્ણય લીધો તેનો ઉલ્લેખ હતો.

બોલ અમરેલી તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી ઉગતો રમેશ

આજ કવિતા આજના સંદર્ભમાં લઈએ તો

બોલ આ દુનિયા તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી(ગુજરાતી સાહિત્ય જગતમાં)
હમેશ ઉગતો રમેશ


સાચે જ રમેશ પારેખ તેમની રચનાઓ દ્ધારા ગુજરાતી સાહિત્ય જગતમાં તો અમરત્વને પામી જ ચૂક્યા છે.

સિદ્ધાર્થ

gujarati blog

2 comments:

ધવલ said...

ઉમદા વાત...સિદ્ધાર્થ. રમેશ પારેખ હંમેશ ગુજરાતીઓના દિલમાં રહેવાના જ છે.

Hitarth Jani said...

Saachej..

Ramesh Parekh Amar rehse kavi premio na dil ma