Friday, April 08, 2005

દુહા

થોડામાં ઘણુ કહી શકવાની ક્ષમતા એ દુહાની વિશેષતા છે. આપણા લોકસાહિત્યનો એ મહત્વનો અને ખૂબ પ્રચલિત એવો કાવ્યપ્રકાર છે.

પ્રથમ દુહામા પરાક્ર્મી અને વ્યક્તિઓને બિરદાવવામાં આવી છે. તેમને ઘોડા અને સિંહ સાથે સરખાવવામાં આવ્યા છે. બીજા દુહામાં ગમે તેવા સંજોગોમાં પણ વચનબદ્ધ રહેનાર શૂરવીરોની પ્રશસ્તિ કરવામાં આવી છે.

ચીલે ચીલે ગડી ચલે, ચીલે ચલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ, સપૂત.

દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર.

No comments: