Saturday, September 09, 2006

કે. કા. શાસ્ત્રીનું અવસાન

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર અને વિશ્વ હિન્દુ પરિષદનાં સ્થાપકોમાનાં એક શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે બૃહદ ગુજરાતીશબ્દકોષનું સર્જન કરેલ. તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડતા હતા. તેઓએ 240 કરતા પણ વધારે પુસ્તકોનું સર્જન કરેલ તથા ઘણા બધા વિષયો પર લેખો લખેલ. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતે સૌથી અનુભવી અને અતિ વિદ્ધાન મહાવ્યક્તિ ગુમાવેલ છે અને આં ખોટ હમેશા સાલ્યા જ કરશે. ગુજરાતી સાહિત્ય જગતને સમૃદ્ધ કરનાર માં સરસ્વતીનાં પનોતા પુત્રને હ્રદયપૂર્વક શ્રંદ્ધાજલિ...

સિદ્ધાર્થ

2 comments:

Anonymous said...

It is indeed a sad news.

Anonymous said...

IT IS A SAD NEWS.
WE ALL NEED TO LEARN FROM PUJYA SHASTRIJI'S TEACHING, HOW TO KEEP SERVING INDIA.
YOU ARE DOING GOOD WORK AS A BLOGGER.