Monday, January 30, 2006

પરિક્રમા નર્મદા મૈયાની


વાંચકમિત્રો,

થોડો અવકાશ મળ્યો હોવાથી મારા પ્રિય પુસ્તકોમાનું એક એવુ પુસ્તક ફરી એકી બેઠકે વાંચ્યુ અને એમાં તમોને સહભાગી બનાવવાની ઈચ્છા રોકી ન શક્યો. આ પુસ્તકનું નામ છે "પરિક્રમા નર્મદા મૈયાની"

શ્રી અમૃતલાલ વેગડની કલમે લખાયેલુ અતિ સુંદર પુસ્તક છે, જે પ્રવાસ લેખનમાં એક સુંદર ભાત પાડે છે. હુ માનુ છુ ત્યા સુધી આ પુસ્તકને રાષ્ટ્રિય કક્ષાએ પારિતોષિક પણ મળેલ છે. અત્રે પુસ્તકમાંથી એક નાનો અંશ રજૂ કરી રહયો છું.

----------
સવાર થતા ચાલી નીકળ્યા. ખેતરોમાંથી થતા ત્રીજે પહોરે એક એવા સ્થળે આવી પહોચ્યા કે જ્યા સામે -

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પા'ડ સરખો
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો.


ઓહો, આ ઓ સુપ્રસિદ્ધ કબીર વડ !

ઠરી મારી આંખો, કબીર વડ તુંને નીરખીને.

પણ અમે ત્યાં જઈએ કે ન જઈએ ? પરીક્રમાનાં નિયમો અનુસાર અમે નર્મદાની ધારા ઓળંગી ન શકીએ, ટાપુ પર ન જઈ શકીએ. પરંતુ જે કબીરવડ વિષે બચપણમાં વાંચેલી કવિતાનું આજેય ઝાંખુ સ્મરણ છે, જેને જોવાની વર્ષોની ઉસ્તુકતા રહી છે, શું એને જોયા વિના જ ચાલ્યા જઈશું ? અહિં ફરી ક્યારે અવાશે ? વળી આ બાજુનો પ્રવાહ પણ તો સાવ છીછરો જ છે !


(પરિક્રમા નર્મદા મૈયાની - અમૃતલાલ વેગડ)
-------------

વાંચકમિત્રો જો તમારામાંથી કોઈને કબીરવડ વિશે જણાવેલ કવિતા પૂર્ણ સ્વરૂપે મળી આવે તો મને મોકલી આપવા વિનંતી છે. તમે મને sidshah70@gmail.com પર ઈ મેઈલ કરી શકો છો.

સિદ્ધાર્થ શાહ


No comments: