Thursday, August 18, 2005

એક વિચાર

નાનપણમાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં એક પાઠ આવતો હતો, જેમા શ્રી વિક્રમ સારાભાઈના બાલ્યકાળની વાતો કરી હતી, તેમાનો એક પ્રસંગ આછોપાતળો યાદ છે. શ્રી વિક્રમ સારાભાઈના ઘરમાં બીજાબધાના પત્રો દરરોજ આવે, પરંતુ તેમના પત્રો નહોતા આવતા, તેથી તેમણે હવાલો પોતાના હાથમાં લઈ લીધો અને પોતે જ પોતાના નામે દરરોજ પત્રો લખવા માંડ્યા, જ્યારે ઘરવાળાને ખબર પડી ત્યારે બધા તેમની આ બચપણમાં કરેલ નિર્દોષ કાર્ય બદલ હસ્યા હતા.

મને પણ આ જ પ્રમાણે હસવું આવે છે જ્યારે પીઢ વયના પાકટ માનવી આ પ્રકારની વર્તણૂક કરે છે. પરંતુ ત્યારે તેમા નિર્દોષતા નહીં પરંતુ દંભ જ દેખાઈ આવે છે. વ્યક્તિ જ્યારે પોતાને ભૂલ સ્વિકારવાને બદલે હાસ્યાસ્પદ રીતે તેનો ઢાંકપિછોડો કરવા નિકળે ત્યારે બીજુ કશું જ નહિ પરંતુ દયા જ આવે છે.....જો કે આજના ભૌતિકવાદી જગતમાં આવા પાત્રો ડગલે અને પગલે જોવા મળે છે...આશા રાખીએ કે ભગવાન તેઓને ક્યારેક તો સદબુધ્ધિ તેમજ પોતાને ભૂલ સ્વિકારવાની હિમ્મત આપશે.

અસ્તુ,

સિદ્ધાર્થ શાહ

No comments: