Sunday, May 13, 2007

એક કવિતા

આજે અમદાવાદનાં ભૂમિ બહેને મોકલાવેલ કવિતા રજૂ કરૂ છું, આશા રાખુ કે વાંચક મિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ



નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.

અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે
.
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.

-ભૂમિ (Bhoomi)

4 comments:

સુરેશ જાની said...

બહુ જ સરસ ભાવ છે.

Unknown said...

Good Job Bhoomi.....
Excellent......
From : Tiku

Cool Hardik Dude said...

બહુ સરસ... મજા આવી ગઇ...

આભાર

manibhai patel said...

વાહ ભૂમિબહેન !સરિતા સાગરનો રસ્તો માપે પછી તો
મલકાય જ ને ? ભાવ સરસ છે. અભિનંદન !