Saturday, January 07, 2006

વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે


-ચિનુ મોદી 'ઈર્શાદ' (Chinu Modi)

No comments: