Wednesday, May 10, 2006

આ કોની મનોરમ દ્ધષ્ટિથી

આ બ્લોગ વાંચતા વાંચકોને અંદાજ હશે જ કે પ્રકૃતિગાન કરતી કવિતાઓ મારી પ્રિય છે અને સમયાંતરે હુ આ પ્રકારની કવિતાઓ રજૂ કરવાનો મોકો શોધતો જ હોઉ છું. આજે ગની દહિવાળાની આ સુંદર કવિતા રજૂ કરૂ છું જે વાંચીને એક સુંદર હિન્દી ગીત "યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર હે" યાદ આવી જાય છે.

સિદ્ધાર્થ

-------------------------------------------------------------------------------------

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ?



આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી?


છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?


શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,

આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઉઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


-ગની દહીંવાળા (Gani Dahiwala)

2 comments:

None said...

Very nice picture and poem!

ધવલ said...

ગનીચાચાની આ રચના મનને રસતરબોળ કરી દે એવી છે. ખૂબ સરસ.. આનંદ થઈ ગયો !