Friday, September 09, 2005

પ્યાર

વાચકમિત્રો, આજે એક નવા કવિની વર્ષો પહેલા રચેલી કવિતા પ્રસ્તૂત છે, આશા રાખુ કે તમને ગમશે. કાવ્યની છેલ્લી પંક્તિઓમાં પ્રેમમાં પ્રગટ થતો સુંદર સમર્પણભાવ રજૂ થયેલ છે. તમારા પ્રતિભાવો જણાવશો.




શાને છૂપાવે મૂજથી તારાં એ સોળે શણગાર
અજાણ્યા નથી કાંઈ મૂજને સ્વપ્ને આવે સો વાર


હશે હ્રદયે બીક એવી કે જોઈને ઠાલો પાછળ પડશે
જા જા રે ગાંડી શું આબરૂ તારી નથી વ્હાલી મને ?

નથી તારી ઈચ્છા? ભલે તું ઈચ્છે અન્યને
એથી મને શું હું શાને ઈચ્છું અન્યને ?

પ્રભુ પ્યારા શાને દુ:ખો દે આડકતરી રીતે તું
એને દુ:ખી કરીને શું સુખ દેવા ચહે અમને
શું જા જા રે ગાંડા ભૂલ્યો ભીંત કે છે જગે પ્રીત રીત
થતું દર્દ એકને તો દુ:ખ થાયે બીજાને નક્કી.

પ્રભુ કદી તે કીધો છે પ્યાર ? એનો કદી દીઠો છે કરાર ?
દઈ સુખો લેવા દુ:ખો, સમર્પી સઘળુ થવું સુખી
જોઈ સુખી થાવું સુખી, જોઈ દુ:ખી થાવું દુ:ખી
એ પ્રેમની છે પારાશીશી.

-"અવિન" ("Avin")

No comments: